તુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા..
યાદ રાખજો કે, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસે જરૂર મળે છે.
લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી.
નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ.
ચઢતી હૈ દીવરોં પર, સૌ બાર ફીસલતી હૈ
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ.
આખિર ઇસકી મેહનત બેકાર નહીં હોતી
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
ડુબકીયાં સિન્ધુ મેં ગોતાખોર લગાતા હૈ,
જા જા કર ખાલી હાથલૌટકર આતા હૈ.
મિલત્તી નહીં સહજ હી મોતી ગહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઉસી હૈરાનીમેં.
મુઠ્ઠી ઉંસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.
કયા કમી રહ ગયી? દેખો ઔર સુધાર કરો
જબ તક ના સફળ હો, નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંધર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ!
કુછ કીયે બીના હી જય-જય-કાર નહિ હોતી
કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી.
ખબર છે તમે ઉપરની કવિતા વાંચ્યા વગર અહીંયા સુધી કૂદકો માર્યો. પણ,વાંચવાની શરૂઆત કરો એ પહેલા હરિવંશરાય બચ્ચનની આ કવિતા ફરીથી એકવાર બધું ટેન્શન બાજુ પર મુકીને વાંચી જાઓ.
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા (૪૫% કે ૫૦%)લાવનારા વિદ્યાર્થીઓ કરી શું શકે? આગળ ભણીને નાની સરખીનોકરીઓ કરી શકે કા‘તો પછી થોડી મન લગાવીને મહેનત કરેતો તલાટી કે કલાર્ક બની શકે. આઈ.એ.એસ કે આઈ.પી.એસઅધિકારી ના બની શકે?
આપણા દરેકના મનમાં એક જ જવાબ આવે કે ૫૦% વાળોઆઈ.એ.એસ કે આઈ.પી.એસ ના સપના જોવે એના કરતાપછી ઘરે બેસે એ વધારે સારું. કોઈ વ્યક્તિ ને આગળ વધવુંહોય તો પણ આજુબાજુના લોકો એને આગળ વધવા ના દે,કંઈક કરવા જાય એ પહેલા તો નવરા લોકો ભાષણ કરવા આઈજાય કે બાપાના ખોટા પૈસા બગાડ્યા કરતા ઘરે બેસ ને.
પણ જયારે કોઈ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાનઅને અંગ્રેજી જેવા મહત્વના ગણાતા વિષયમાં ૩૫ ગુણ(હા,દરેક વિષયમાં ૩૫ ) આવે તો આવો વિદ્યાર્થી જીવનમાં કરીશું શકે? આજના વિદ્યાર્થીઓને તો બે – પાંચ ટકા ઓછા આવીજાય એટલે નાસીપાસ થઈને કાંઈ પણ વિચાર્યા વગર ખરાબપગલાં ભરી નાખે છે, ઘરમાંથી નાસી જાય છે કા‘તો સ્વહત્યા જેવા ખરાબ પગલાં ભરી નાખે છે. ઓછા ટકા આવશે તોઘરવાળા અને લોકો શું કહેશે! આવું વિચારીને ના કરવાનું કરીબેસે છે. લોકોને જે બોલવું હોય એ બોલ્યા કરે, તમારે જે કરવુંહોય એ કરો ને!
‘સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ‘ – ઓશો
‘તુષાર સુમેરા‘ આવા જ ઓછા ટકા લાવનારા અને ‘મારાથી તોઆ ના જ થાય‘ એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમઆદર્શરૂપ ઉદાહરણ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીકરતા ગૌરીબેન ચાવડા અને જમીન વિકાસ નિગમમાં ફિલ્ડસુપરવાઈઝર તરીકે ફરજ બજવતાં દલપતભાઈ સુમેરાના ત્રણપુત્રોમાંના મોટા પુત્ર એટલે તુષાર સુમેરા.
સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિકશિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસકરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશનલીધું. ત્યારબાદ મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યું, પછીઆગળ ભણતા એમ.એ. અને બી.એડનો પણ અભ્યાસ પૂર્ણકર્યો. તેમણે ફૂલછાબના ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યુંહતું કે , મારે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં ૩૫,વિજ્ઞાનમાં ૩૫, અને અંગ્રેજીમાં ૩૫ માર્ક હતા. મારી માર્કશીટજોઈને તો કોચિંગ ક્લાસ વાળાએ તો કીધું કે, તારા જેવાવિદ્યાર્થી પાસ ના થાય. તેમને બી.એ.ના પ્રવેશ ફોર્મમાં તેમનાનામનો પહેલો અક્ષર ‘T’ સ્મોલ અને છેલ્લો અક્ષર ‘R’કૅપિટલમાં લખ્યો હતો. તેમણે કહ્યું કે, હું આટલો ઠોઠ હોવાછતાં મેં નક્કી કર્યું કે, મારે મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એકરવું છે. મને વિચાર આવતો કે, બીજા બધા લોકો ફટાફટઅંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી ? ભગવાને બધાને બધુંસરખું આપ્યું છે તો, હું કેમ ના બોલી શકું? આવા વિચાર સાથેખુબ મહેનત શરૂ કરી અને મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ.કર્યા બાદ એમ.એ અને બી. એડ પણ કર્યું.
તેમણે ભણતર પૂર્ણ કરીને મહિને ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગારસાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી.નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેકટરઆવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કેકલેક્ટર થવું હોય તો થવાય! પછી તેમણે કોઈકને પૂછ્યું કે,કલેક્ટર થવું હોય તો? કોઈકે કીધું કે , યુ.પી.એસ.સી.ની(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન )પરીક્ષા આપવી પડે. પછીબધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈનેયુ.પી.એસ.સી ની તૈયારીઓ ચાલુ કરી. તેમનું ૨૦૦૭માંસ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડમહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ (નાપાસ) થયા બાદપાંચમા પ્રયત્ને સફળ થયા.
કોઈ વ્યક્તિ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરે એટલે ઘરનીસાથે સાથે આખા ગામમાં અને આખા રાજ્યમાં સુખનું મોજુંપ્રસરી જાય. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનારા બહુજઓછા વિદ્યાર્થીઓ હોય છે. આમ પણ આ પરીક્ષા પાસ કરવીએટલે લોઢાના ચણા ચાવવા બરાબર જ છે. પણ પ્રયત્ન કરો તોઆ યુ.પી.એસ.સી. નામના લોઢાના ચણા પણ ચાવી શકાય.૨૦૧૬ના આંકડા પર નજર નાખીએ તો, અંદાજે ૧૧.૩૬ લાખવિદ્યાર્થીઓએ યુ.પી.એસ.સી. માટે નોંધણી કરાવી હતી, તેમાંથીઅંદાજે ૫ લાખ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા આપી હતી.તેમાંથી અંદાજે ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા માટેપસંદ થયા હતા. તેમાંથી ૩,૮૦૦ વિદ્યાર્થીઓ જનરલ સ્ટડીપેપર–૧ માટે અને ૩,૭૦૦ વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર–૨માટે પસંદ થયા હતા. તેમાંથી અંદાજે ૨,૦૦૦ વિદ્યાર્થીઓઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હતા. જેમાંથી મેડિકલ ટેસ્ટમાં પાસથઈને છેલ્લે ૧૦૯૯ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. આ આંકડાઓજોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, યુ.પી.એસ.સીએટલે લોઢાના ચણા ચાવવા.
તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણઅશક્ય નથી. સતત પાંચ વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જહું આઈ.એ.એસ. બની શક્યો!
તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, ‘હું સ્પીપામાંજોડાયો ત્યારે રોજના ૧૪ થી ૧૫ કલાક વાંચતો. ત્યારબાદ ૧૦કલાકની સરેરાશથી ૪ વર્ષ સુધી તનતોડ મહેનત કરી.
અંતે, ૨૦૧૨ માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એપણ આઈ.એ.એસ ( ઇન્ડિયન આસિસ્ટન્ટ સર્વિસ ) કેડર સાથે,અને તેમની નિમણુંક પણ થઇ ગુજરાત રાજ્યમાં જ!
ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવાવિષયમાં ૩૫–૩૫ ગુણ લાવનાર વિધાર્થી આઈ.એ.એસ બનીશકે! આપણને તો આવો વિચાર પણ ના આવે અને તેમણે કરીનેબતાવ્યું. કારણકે તેમણે એક જ ધ્યેય નક્કી કે , ‘મારેઆઈ.એ.એસ બનવું છે.’
તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું ‘રાજચિન્હ ‘અને ‘સત્યમેવ જયતે‘ લખેલું છે. આવું તો દરેક સરકારીઓફિસમાં જોવા મળે, પરંતુ તુષારભાઈ બેસે છે એની બરાબરસામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું છે કે : ‘Government work is God’s work’ અર્થાત ‘સરકારનું કામ એ ભગવાનનુંકામ છે.’
આવું લખાણ લખવા પાછળ તુષારભાઈનું કેહવું છે કે મનેમળવા આવનારા મુલાકાતીઓને મારી ખુરશી પાછળ લખાયેલું‘સત્યમેવ જયતે‘ વાંચવા મળે અને મને મારી સામેની દિવાલ પર‘સરકારનું કામ એ ભગવાનનું કામ છે‘ એવું વાંચવા મળે એટલેએ વાંચીને એવો વિચાર આવે કે કોઈ પણ કામ કરીયે એઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીયે.
આપણા ત્યાંતો લોકો પોતાના ખિસ્સા ભરવામાંથી ઉંચ્ચા નથીઆવતા અને આતો પોતાનું જીવન લોકોની સેવા માટે સમર્પ્રિતકરવાની વાત કરે છે. સો સો સલામ!
આવા તો ઘણા બધા ઉદાહરણો છે, જે દસમા ધોરણમાં એકવાર નહિ પરંતુ બબ્બે ને ત્રણ–ત્રણ વખત નાપાસ થયા હોયઅને પોતાના મનગમતા ક્ષેત્રમાં પોતાનું યોગ્ય યોગદાન આપ્યુંહોય.
“ સફળતા એટલે, એક નિષ્ફળતાથી બીજીનિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગરવધવુ.“– વિન્સ્ટન્ટ ચર્ચિલ
No comments:
Post a Comment