"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 5 February 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૫/૦૨/૨૦૧૮ અને સોમવાર


વિધિ-વિધાનો શા માટે ?
એકવાર ગૌતમ બુદ્ધ પસાર થતા હતા ત્યારે તેણે એક સજ્જનને સ્નાન બાદ દિશાઓને વંદન કરતા જોયો. બુદ્ધ ઊભા રહીને આ સજ્જન શું કરે છે તે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ પૂર્ણ ભાવ સાથે છ દિશાઓ (ચારે દિશાઓ, ઉપર આકાશ અને નીચે ધરતી)ને વંદન કર્યા.                                                                                                 
વંદન વિધિ પૂર્ણ થઈ એટલે બુદ્ધ એમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, તું આટલા ભાવથી આ છ દિશાઓને વંદન કરતો હતો પણ તને ખબર છે કે દિશાઓને શા માટે વંદન કરવામાં આવે છે ?” પેલા સજ્જને કહ્યું, “આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માટે હું વંદન કરું છું પણ સાચું પૂછો તો મને એ ખબર નથી કે આ વંદન શા માટે કરવામાં આવે છે ?” બુદ્ધે કહ્યું, ‘તું જે કાર્ય કરે છે તેની પાછળ રહેલા ઉદ્દેશની તને ખબર જ નથી તો પછી આવું કાર્ય તો માત્ર યંત્રવત જ બની જાય ! એમાં કોઈ ભાવ ના હોય.” સજ્જને બુદ્ધને જ પ્રાર્થના કરતા કહ્યું, “આપ વિદ્વાન છો. આપ જ કૃપા કરીને મને સમજાવોને કે આ દિશાવંદનનું રહસ્ય શું છે ?”
ગૌતમ બુદ્ધે દિશાવંદનના રહસ્યને ઉજાગર કરતા કહ્યું, “માતા અને પિતા પૂર્વ દિશા છે, ગુરુ અને શિક્ષક દક્ષિણ દિશા છે, જીવનસાથી (પતિ-પત્ની) અને સંતાનો પશ્ચિમ દિશા છે, મિત્રો ઉત્તર દિશા છે, માલિક (જેના કારણે મારું જીવનનિર્વાહ ચાલે છે) ઊર્ધ્વ દિશા/આકાશ છે અને નોકર (આપણા કાર્યમાં સહાય કરનારા) અધોદિશા – ધરતી છે. આ છ દિશાઓને પ્રણામ કરવા પાછળ એવી તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાની ભાવના રહેલી છે જે આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે.”                                                                                                                       
તથાગત બુદ્ધની આ સ્પષ્ટતા પછી એવું નથી લાગતું કે આપણે પણ રોજ છ દિશાઓને વંદન કરવા જેવું છે. દિશાઓ સાથે સાંકળવામાં આવેલ તમામ વ્યક્તિઓ આપણા જીવનમાં ન હોત તો શું થાત ? એની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.

2 comments: