"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 28 June 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૯/૦૬/૨૦૧૮ અને શુક્રવાર


એક વખત એક સંત પાસે એક ભાઈ આવ્યા અને કહે કે મારે સાધુ થવું છે – તમે મને દિક્ષા આપશો?
સંતે તેની સામે પ્રેમથી જોયું અને કહ્યું કે તું એક કામ કર. તારા ઘરે જા – તારા કોઈ એક મૃત્યું પામેલા દુશ્મનને યાદ કરી અને મનમાં ને મનમાં તેને ખૂબ ગાળો આપજે.
ભાઈ તો ઘરે ગયા – જેટલી ધૃણા હતી તેટલી તીવ્રતાથી તેણે પોતાના મૃત દુશ્મનને ગાળો આપી. પછી સંત પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ ખૂબ ગાળો આપી આવ્યો. સંતે શાંતિથી તેની સામે જોયું અને પુછ્યું કે શું કહ્યું તારા દુશ્મને? પેલા ભાઈ કહે કે અરે તે તો મરી ગયો છે તે શું કહેવાનો છે? સંતે કહ્યું સારુ કે હવે પાછો તારા ઘરે જા અને મનથી તેની માફી માંગી અને ખૂબ વખાણ કરજે.
ભાઈ તો ઘરે ગયા – દુશ્મનની માફી માંગી અને તેને કાલાવાલા કર્યા (મનથી). પછી તેની તરફ ખૂબ પ્રેમના તરંગો મોકલ્યાં. પાછા આવ્યા સંત પાસે અને કહ્યું કે મેં આ પ્રમાણે કર્યું છે.
સંતે તેને પુછ્યું તારા બંને વખતના વ્યવહાર વખતે તને શું અનુભુતી થઈ અને તારા દુશ્મનને શું અનુભૂતી થઈ?
ભાઈ કહે ગુસ્સામાં હું મારા મનનો કાબુ ગુમાવી બેઠેલો – મારું શરીર પણ ધૃજવા લાગેલું જ્યારે મેં માફી માંગી ત્યારે મને એકદમ શાંતિ થઈ અને જ્યારે મેં પ્રેમના તરંગો મોકલ્યા ત્યારે મને આનંદની અનુભુતી થઈ. મારા દુશ્મને તો કશો જ પ્રતિભાવ ન આપ્યો કારણ કે તે તો મરી ગયો છે.
સંતે કહ્યું જ્યાં સુધી તું લાગણીઓના પ્રવાહમાં તણાઈ જા છો ત્યાં સુધી તું સંસારમાં જ રહે. જે સમયે લોકો તને હજ્જારો ગાળો આપે કે પેટભરીને તારા વખાણ કરે તે બંને સ્થિતિમાં તુ જો સમ રહી શકે તારી પ્રજ્ઞા સ્થીર રહી શકે – ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ જેવા બધાં લક્ષણો તારામાં આવી જાય ત્યારે તું મારી પાસે આવજે – હું તને જરૂર સંન્યસ્તની દિક્ષા આપીશ.
તા.ક. સ્મશાનવૈરાગ્યથી કે કપડાં બદલવાથી કોઈ સાધુ – સાધ્વિ થઈ નથી જતા – સાચા સંત બનવા માટે સતત મનને કેળવવું પડે છે.

No comments:

Post a Comment