"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 22 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૨/૦૩/૨૦૧૮ અને ગુરુવાર

લાડવો – નટવર આહલપરા
આછું અંધારુંય ને આછો ઉજાસેય કળાતો હતો. સવાર પડી. અમરત ઊઠી. ન્હાવા-ધોવાનું પતાવી કાયમ પ્રમાણે ઘરના ઉંબરે સાથિયો પૂર્યો. સૂરજદાદાને અને સાસુ-સસરાને પગે લાગી. કૂતરાને સાનકી નાખી. ફળિયામાં બાંધેલી ગાયને ઘાસ નીર્યું. બાજરાનો લોટ લઈ કીડિયારું પૂર્યું. ધરતીમાને લાપસી જારી. સાસુ-સસરાને શિરામણ કરાવ્યું.
ત્રણ વરસના દીકરા માવજીને ઘોડિયામાં સુવાડ્યો. હાથમાં દોરી લઈ અમરતે માવજીને હીંચકાવતાં વાત શરૂ કરી : ‘એય માવલા, હું તને એટલે હીંચકાવું છું કે, તું મોટો થા ને ઈ વેળાએ જો ધરતીનો આંચકો આવે તો તને બીક નો લાગે, સમજ્યો ? મેં સાંભળ્યું છે કે ગગા, શે’રમાં (શહેરમાં) આંચકા આવ્યા, ત્યારે ઊંચા-ઊંચા ઘોલકી જેવા મકાનમાં રે’તા માણસોને આવી ટાઢમાં ઠૂંઠવાઈને તંબૂ તાણી રે’વું પડ્યું’તું. તારા જેવા છોકરાનું શું થાતું હશે ? એની મા ન્યાં ઘોડિયાં ગોતવા ક્યાં જાય ? એના બાપને સૂવા ખાટલો ક્યાંથી મળે ? આપડે કાંઈ ઉપાધિ ? ભગવાનની ઘણી દયા આપડે માથે છે. આપડે તો ઘરનાં ઘર. લીલી વાડી, દૂઝણાં, ઘરમાં ધરમ-ધ્યાન ને સુખ-શાંતિ. પણ માવજી, મને ઈ સમજાતું નથી કે, આપણને બધું સુખ મળ્યું છે તોય તારા બાપુ મને, તને, બા-બાપુને અને આપડી જનમભોમકાને છોડીને શહેરમાં સું લાડવો લેવા ગ્યા હશે ?’

1 comment: